मुस्लमान कभी गद्दारी नहीं करता
Jamaat-e-Islami Hind Gujarat
This is the Official page of Jamaat-e-Islami Hind Gujarat
इस्लाम ने औरतों को उनके हुक़ूक़ आज से 1400 साल पहले ही दे दिए थे...
हम सब ने वो सवाल सुने हैं — कभी किसी दोस्त से, कभी Social Media पर और कभी खुद दिमागों में यह सवाल उठते हैं... "अगर इस्लाम का मतलब Peace है, तो हिंसा क्यों?" "अगर अल्लाह सब जानता है, तो test किस बात का?" "इस्लाम इतना Perfect है तो मुसलमान इतने Imperfect क्यों?" "मुस्लमान औरतों ओर जुल्म क्यों करते हैं?" ये सवाल अटपटे लगते हैं — मगर ऐसा नहीं है के इनके जवाब नहीं हैं.... इस Podcast Episode में हम उन्हीं Awkward और Uncomfortable और बार-बार पूछे जाने वाले सवालों के जवाब तलाश करेंगे..... 12 सवाल - 5 Segments और एक Honest Conversation... चाहे आप मुस्लिम हों या न हों — अगर आप समझना चाहते हैं, तो यह Episode आपके लिए है।
26/04/2026
“Ikhtilaf hona fitrat hai… lekin usse handle karna hi asal kirdaar hai.”
Ek raasta band ho to shor machana aasaan hai,
lekin naya raasta banana — wahi asli quwwat hai.
Mushkilaat ko apni soch ka markaz bana dena kamzori hai,
aur unhe badal kar mauka banana — wahi himmat aur leadership hai.
✨ Ikhtilaf se upar uthkar, islah ki taraf badhein.
बच्चों के लिए मां कितना दर्द और तकलीफ बरदास्त करती हैं
अल्लाह उनके इस अमल पर उन्हें जन्नत में आला मुकाम नसीब करेगा....
बच्चा जनते वक्त मां जो दर्द और तकलीफ बरदास्त करती है हम उसका हक कभी भी अदा नहीं कर
વાતચેટ પોડકાસ્ટ
UCC: સમાન કાયદો કે રાજકારણ
મુખ્ય મેહમાન:
જનાબ ઇકબાલ અહમદ મિર્ઝા *(પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ - અહમદાબાદ)
એક તરફ સરકાર ગુજરાતના દરેક નાગરિકો માટે સમાન કાયદો (UCC) લાવવાની વાત કરી રહી છે અને બીજી તરફ આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.....
✒️ શું UCC નો કાયદો વ્યક્તિગત બાબતોમાં સરકારનો વધારે પડતો અમલદખલ નથી❓
✒️ શું હવે સરકાર વિવિધ ધર્મોની ધાર્મિક બાબતોને પણ કંટ્રોલ કરશે❓
✒️ શું UCC ફકત લઘુમતી સમાજને અસર કરશે❓
✒️ શું ભારત જેવા વિવિધ ધર્મો અને આસ્થાઓનો દેશ ધાર્મિક બાબતોમાં સમાન કાનૂનથી ચાલી શકશે❓
આવા અનેક પ્રશ્નો પર વિસ્તારપૂર્વક ચર્ચા...
આજના અમારા ખાસ પોડકાસ્ટમાં..
हलाला की हकीकत । क्या कहते मौलाना इस बारेमे ?
जो कोई प्लान करके, मंसूबा बना कर हलाला करता या करवाता है:
रसूल ﷺ ने हलाला करने वाले और कराने वाले (दोनों) पर लानत भेजी है।
(तिर्मिजी 1120)
वातचेट पॉडकास्ट: UCC (यूनिफॉर्म सिविल कोड) पर एक चर्चा
Guest:
Prof. (Dr.) Akil ali Saiyed (Jurist & Academician)
Dr. Salim Patiwala (President, JIH Gujarat)
यूनिफॉर्म सिविल कोड की चर्चा समाज में आम है... समाज के हर वर्ग में इसके बारे में कई तरह के सवाल हैं...
सवाल जैसे के.....
✒️ क्या है यूनिफॉर्म सिविल कोड?
✒️ क्या हमारा समाज यूनिफॉर्म सिविल कोड जैसे कानून के लिए तैयार है?
✒️ क्या भारतीय संविधान यूनिफॉर्म सिविल कोड की इजाजत देता है?
✒️ क्या है भारतीय संविधान का आर्टिकल 44?
✒️ क्या यूनिफॉर्म सिविल कोड हिंदू कोड बिल की ही कॉपी है?
क्या यूनिफॉर्म सिविल कोड सिर्फ मुसलमानों के खिलाफ है?
✒️तलाक, निकाह, विरासत जैसे इस्लामी कानून पर अब कैसे अमल किया जा सकता है?
✒️ आदिवासी समाज को UCC से अलग क्यों किया गया?
✒️ UCC कानून लाने के पीछे सरकार की क्या मंशा है?
✒️ क्या यूनिफॉर्म सिविल कोड मजहबी आजादी को खत्म करता है?
✒️ क्या यूनिफॉर्म सिविल कोड इस्लामी खादानी क्वानीन को खिलाफ है?
✒️ क्या लिव इन रिलेशनशिप जैसी प्रथा को कानूनी मान्यता देने से समाज में अनैतिकता का बढ़ावा होगा?
✒️ लिव इन रिलेशनशिप से पैदा हुवे बच्चे का भविष्य का क्या होगा?
इन सभी सवालों के सटीक जवाब जानने के लिए सुनिए हमारी खास पेशकश ....
वातचेट पॉडकास्ट में....
13/04/2026
ઈસ્લામ તલવારથી ફેલાયો હોવાની અને ધાર્મિક આધારે મંદિરો તોડવાની વાર્તાઓનો વાસ્તવિક ઈતિહાસ સાથે કોઈ સંબંધ નથી
દિલ્હીમાં મુસ્લિમ ઈતિહાસ પર આયોજિત બે દિવસીય હિસ્ટ્રી કોન્ફરન્સમાં નિષ્ણાતોનું સંબોધન
નવી દિલ્હી: ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમના નેજા હેઠળ ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત બે દિવસીય 'નેશનલ હિસ્ટ્રી કોન્ફરન્સ'નું સફળતાપૂર્વક સમાપન થયું. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અગ્રણી બૌદ્ધિકો, ઈતિહાસકારો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતીય ઈતિહાસના સંશોધનાત્મક અભ્યાસને વેગ આપવો અને તેમાં મુસ્લિમોની ઐતિહાસિક ભૂમિકાને ઉજાગર કરવાનો હતો.
કોન્ફરન્સમાં અનેક અગ્રણી હસ્તીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં સલમાન ખુર્શીદ, પ્રોફેસર અનીતા રામપાલ, પ્રોફેસર એન. સુકુમાર, પ્રોફેસર સલીમ એન્જિનિયર, ડૉ. રામ પુનિયાની, અબ્દુલ સલામ પુતગે, એસ.એમ. અઝીઝુદ્દીન હુસૈની, ડૉ. ઈશ્તિયાક હુસૈન, શાહિદ સિદ્દીકી અને પ્રોફેસર અજય ગુડાવર્તી વગેરેનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં રામ પુનિયાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન ભારતમાં ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનું વલણ વધ્યું છે, જેના દ્વારા અમુક પસંદગીની ઐતિહાસિક ઘટનાઓનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ભૂતકાળના યુદ્ધો મોટાભાગે સત્તા, સંસાધનો અને રાજકીય હિતો માટે લડવામાં આવ્યા હતા, ધર્મના આધારે નહીં. તેમણે ભાર મૂક્યો કે ઈતિહાસને સમજવા માટે તેનો ઊંડો અને નિષ્પક્ષ અભ્યાસ અનિવાર્ય છે.
અબ્દુલ સલામ પુતગેએ જણાવ્યું હતું કે, ભારતીય મુસ્લિમો આ જ ધરતીના સંતાન છે અને તેમને વિદેશી ગણાવવા એ ઐતિહાસિક તથ્યોથી વિપરીત છે. તેમણે DNA સંશોધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના વિવિધ વર્ગોના લોકોએ અલગ-અલગ સમયગાળામાં ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો, જેનું મુખ્ય કારણ ઈસ્લામનો એકેશ્વરવાદ, આધ્યાત્મિકતા અને સમાનતાનો સંદેશ હતો.
પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે, માત્ર ભૂતકાળમાં જ નહીં પરંતુ આધુનિક ભારતના નિર્માણમાં પણ ભારતીય મુસ્લિમોનું અસાધારણ પ્રદાન રહ્યું છે. નફરત અને ગેરસમજ દૂર કરવા માટે આ સત્યને વારંવાર વિવિધ સંદર્ભો સાથે દેશવાસીઓ સમક્ષ લાવવાની જરૂર છે.
પ્રોફેસર એસ.એમ. અઝીઝુદ્દીન હુસૈનીએ ભારતીય ઈતિહાસમાં મુસ્લિમોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સેવાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે મુસ્લિમોએ માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સાહિત્યના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
ડૉ. ઈશ્તિયાક હુસૈને મધ્યકાલીન ભારતીય સમાજને સમજવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે એ યુગમાં વિવિધ ભાષાઓ અને જ્ઞાન-વિજ્ઞાનનું આદાનપ્રદાન થયું, જેના કારણે સંસ્કૃતના અનેક મહત્વના ગ્રંથોનો સ્થાનિક ભાષાઓમાં અનુવાદ થયો. તેમણે વધુમાં ઉમેર્યું કે મુઘલ કાળમાં ફારસી રાજભાષા હોવા છતાં સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓને અવગણવામાં નહોતી આવી, પરંતુ તેમને પ્રોત્સાહન મળ્યું હતું.
પ્રોફેસર અનીતા રામપાલે પાઠ્યપુસ્તકોના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, શૈક્ષણિક સામગ્રી નવી પેઢીના વૈચારિક ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. આપણે ગંભીરતાથી વિચારવું પડશે કે આપણે આવનારી પેઢીને કેવો ઈતિહાસ આપી રહ્યા છીએ, કારણ કે એ જ તેમના વિચારો અને સામાજિક સમજને આકાર આપે છે.
પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે, દેશમાં અનેક સામાજિક બદીઓને દૂર કરવામાં અને સુધારાવાદી આંદોલનોના નિર્માણમાં ઈસ્લામિક શિક્ષાનો મહત્વનો ફાળો રહ્યો છે.
આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ યુનિવર્સિટીઓના સંશોધકોએ ભારતમાં ઈસ્લામ અને મુસ્લિમોની ઐતિહાસિક ભૂમિકા પર ૨૦થી વધુ સંશોધન પત્રો (Research Papers) રજૂ કર્યા હતા. સાથે જ પસંદગીના પુસ્તકો પર લેખકો સાથે ચર્ચાના વિશેષ સત્રો પણ યોજાયા હતા.
કોન્ફરન્સના અંતે તમામ સહભાગીઓએ એ વાત સ્વીકારી કે વર્તમાન સમયમાં ઈતિહાસને પૂર્વગ્રહ વગર, વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક દૃષ્ટિકોણથી સમજવો જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવા કાર્યક્રમોથી સમાજમાં પરસ્પર સંવાદ, સામાજિક સમરસતા અને સહિષ્ણુતા વધશે.
11/04/2026
ભારતના નિર્માણ અને વિકાસમાં ઇસ્લામ અને મુસ્લિમોના અસાધારણ ઐતિહાસિક યોગદાનને નજરઅંદાજ કરી શકાય નહીં
દિલ્હીમાં ભારતીય મુસ્લિમ ઇતિહાસ પર આયોજિત કોન્ફરન્સમાં શશિ થરુર, સૈયદ સઆદતુલ્લાહ હુસૈની, મનોજ ઝા અને અન્ય નિષ્ણાતોએ મંતવ્યો વ્યક્ત કર્યા
નવી દિલ્હી: ‘ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમ’ હેઠળ ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે બે દિવસીય ભવ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સ “ભારતના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિના ઉત્ક્રાંતિમાં મુસ્લિમોની ભૂમિકા” ના મુખ્ય વિષય હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે લોકસભા સાંસદ શશિ થરુર, જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈની, કોંગ્રેસ નેતા ગુરદીપ સિંહ સપ્પલ, પૂર્વ રાજ્યસભા સાંસદ મોહમ્મદ અદીબ, રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝા, લેખક અશોક કુમાર પાંડે, ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમના કન્વીનર ડૉ. શાદાબ મૂસા સહિતના અનેક મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે શશિ થરુર જણાવ્યું હતું કે, “આપણા ઇતિહાસમાં ઘણું બધું સમાયેલું છે. ઘણી ખોટી અને કાલ્પનિક વાર્તાઓને ઇતિહાસનો હિસ્સો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ઇતિહાસના સાચા પરિપ્રેક્ષ્યને સમજવો, સત્ય સુધી પહોંચવું અને તેને સમાજ સુધી પહોંચાડવું અત્યંત આવશ્યક છે.”
જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે, “ઇતિહાસ કોઈપણ રાષ્ટ્ર અને દેશ માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઇતિહાસ માત્ર માહિતી નથી, પરંતુ તેના પાયા પર ભવિષ્યનું નિર્માણ થાય છે. આપણો દેશ ભારત, ઇતિહાસના એ મહત્વના ભાગને ભૂલી ન જાય જે ઇસ્લામ અને મુસ્લિમોની મહાન ઐતિહાસિક સેવાઓ સાથે જોડાયેલો છે, તે માટે આવી કોન્ફરન્સ મહત્વની છે. આજે ઇતિહાસને હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યો છે, ત્યારે મુસ્લિમો અને ન્યાયપ્રિય લોકોએ આગળ આવીને સાચો ઇતિહાસ દુનિયા સમક્ષ રજૂ કરવો જોઈએ.”
સાંસદ મનોજ કુમાર ઝાએ જણાવ્યું કે, “આજે ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે દેશની લોકશાહી માટે ખતરનાક છે. આપણો ઇતિહાસ આપણી સંપત્તિ છે અને તેની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે.” ગુરદીપ સિંહ સપ્પલે ઉમેર્યું કે, ઇતિહાસ બદલવાની કોશિશ દેશમાં ખેદજનક સ્તરે પહોંચી ગઈ છે. મોહમ્મદ અદીબે ચેતવણી આપતા કહ્યું કે, “જ્યારે કોઈ સંસ્કૃતિને ખતમ કરવી હોય ત્યારે તેનો ઇતિહાસ બદલી નાખવામાં આવે છે, જે આપણી ઓળખ માટે મોટું જોખમ છે.”
કોન્ફરન્સમાં વિવિધ ઇતિહાસકારો અને નિષ્ણાતો દ્વારા અર્થતંત્ર, વેપાર, સમાજશાસ્ત્ર અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં મુસ્લિમોના યોગદાન પર સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ મહિલાઓની ઐતિહાસિક ભૂમિકા પર એક વિશેષ સત્ર પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉલેમાઓ, બૌદ્ધિકો, રિસર્ચ સ્કોલર્સ, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સંકલ્પ કર્યો હતો કે તેઓ દેશમાં ઇતિહાસના સાચા વર્ણન દ્વારા રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણમાં પોતાની ક્ષમતા મુજબ ભૂમિકા ભજવશે.
Mood Swings During Pregnancy? It’s Real, It’s Normal
Pregnancy sirf physical change nahi hota…
yeh ek emotional rollercoaster hota hai.
Hormonal changes ki wajah se mood swings, aniety, irritability — yeh sab normal hai, weakness nahi.
Is waqt sabse zyada zaroorat hoti hai:
Samajhne ki
Sabr ki
Aur support ki
Ek caring environment, ek soft tone, aur thoda sa extra pyaar…
yeh sab ek expectant mother ke liye bohot farq laata hai.
Let’s build a society jo judge nahi, support kare.
Click here to claim your Sponsored Listing.
