30/11/2024
કથાને લીધે રોજ ચારેક કલાક એમાં બેસનારા મૌન રહે છે, કોઈને નડી શકતા નથી, કોઈની નિંદા કરી શકતા નથી, (એટલો સમય કોઈ બીજો અપરાધ ના કરી શકે ) આટલું તો થાય જ છે." અત્યારે રાજકોટ સદભાવના રામકથામાં પ્રિય મોરારિબાપુ બોલ્યા. જો કે બાપુની કથા થકી કેટલા સારા કાર્યો થાય છે એનો તો હું સાક્ષી છું. પણ બાપુએ આ જ કથામાં કહ્યું કે " લોકો તો ફોટા ય પાડે અને ખોટા ય પાડે... આપણે તો નરસિંહની જેમ ભક્તિની મસ્તીમાં રહેવું ...જે પ્રેમી છે એ તો પ્રતીક્ષા કરે, પરીક્ષા ના કરે !"
આ કથા કંઇક અલગ જ ભાવ જગાડી રહી છે. બાપુ કહે છે એમ વૃક્ષો અને વૃદ્ધો બંને આપણને છાયો આપે છે. આપણો વિસામો વૃદ્ધો છે. મારું એવું માનવું છે કે સવારના દોડતા દોડતા રાતે ઘરે પહોંચો ત્યારે કોઈ તમને એકદમ મમત્વ સાથે એમ પોકારે કે બેટા, થાક ખાઈ લે, પછી જમાડું અથવા તો આવું કંઇ પણ" તો દિવસ આખાનો થાક, તડકો બધું જ શમી જાય. વૃદ્ધો એટલે આપણા પરિવાર રૂપી વૃક્ષના મૂળ. જે વૃક્ષને એ પેઢીઓ રૂપી ડાળખીઓ આપે છે એ વૃદ્ધ અને વૃક્ષ આ રીતે સમાન છે.
સદભાવના વૃદ્ધાશ્રમ ના આમંત્રણ ને માન આપીને
યુવા સંસ્કૃતિ પરિવાર દ્વારા પૂજ્ય બાપુ ની કથા નો અને વૃદ્ધાશ્રમની દર્શનનો લાભ લીધો
