15/10/2023
આજથી પ્રારંભ થતા માં આદ્યશક્તિની આરાધના ના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ.
આમ આદમી પાર્ટી, ડાંગ જીલ્લા
15/10/2023
આજથી પ્રારંભ થતા માં આદ્યશક્તિની આરાધના ના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ.
14/09/2023
सभी देशवासियों को हिन्दी दिवस की शुभकामनाएं।
#हिंदी_दिवस
15/08/2023
સર્વે દેશવાસીઓને "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
09/08/2023
જળ, જમીન અને જંગલ રક્ષક તેમજ પ્રકૃતિ પુજક આદિવાસી સમાજને 'વિશ્વ આદિવાસી દિવસ' ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
13/07/2023
આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લાના આહવા કલેક્ટર કચેરી ખાતે દેશના અનુસૂચિત જન-જાતિ આદિવાસી સમુદાય ઉપર (યુનિફોર્મ સિવિલ કોર્ડ) UCC લાગુ ન કરવા બાબતે આહવા કલેક્ટર કચેરી ખાતે ડાંગ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જેમાં ડાંગ જિલ્લાના વિધાનસભા પ્રમુખ એડવોકેટ સુનિલભાઈ ગામીત જિલ્લા પ્રમુખ શ્રીરમેશભાઈ ગાયકવાડ, જિલ્લાના મહામંત્રી શ્રીક્રિષ્નાભાઈ સોલંકી, જિલ્લાના યુવા તથા અન્ય કાર્યકરો હાજર રહ્યા હતાં.
26/06/2023
દિલ્લીમાં કેજરીવાલ સરકાર દ્વારા વધુ એક વિશ્વ સ્તરીય સરકારી શાળા તૈયાર.
આ છે અરવિંદ કેજરીવાલની શિક્ષણ ક્રાંતિ.
21/05/2023
આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લાના સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. 💥🔥💥
07/05/2023
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં તલાટીની પરીક્ષા આપવા પહોંચેલા પરીક્ષાર્થીઓને 'આપ' ગુજરાત દ્વારા રહેવા-જમવા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરી આપવામાં આવી.
01/05/2023
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની સર્વેને હાર્દિક શુભકામનાઓ…
24/04/2023
ડાંગ જિલ્લા ના આહવા ખાતે આમ આદમી પાર્ટી ડાંગ વતી કથિત સરકારી ભરતીઓમાં ચાલી આવેલ કૌભાંડોને ઉજાગર કરતા આવેલ યુવરાજ સિંહ જાડેજા ના સમર્થનમાં કલેક્ટર આહવા ડાંગ ને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ દર્શાવી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને રજૂઆત કરવામાં આવી.
તારીખ. 24/04/2024 ના રોજ ડાંગ જિલ્લા ના આહવા ખાતે આમ આદમી પાર્ટી ડાંગ વતી કથિત સરકારી ભરતીઓમાં ચાલી આવેલ કૌભાંડોને ઉજાગર કરતા આવેલ યુવરાજ સિંહ જાડેજા ના સમર્થનમાં કલેક્ટર આહવા ડાંગ ને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ દર્શાવી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને રજૂઆત કરવામાં આવી. જેમાં જણાવવા માં આવેલ છે કે રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અનેકો યુવાનોની તૈયારી ઉપર, આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક પ્રસંગે શ્રી યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા, એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કડી મળી.એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ ના લીધી. ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાંને જીવતદાન આપવા, એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલે, જેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ/આરોપીઓ આંગળી ચીંધે. જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા, ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે.રાજ્ય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્ય, મોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીક, ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માંગતીને?
આ સાથે આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા માગણી કરી છે કે છે કે:
1) યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે,
2) સમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે.
3) તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે.
જે નિમિત્તે આમ આદમી પાર્ટી ડાંગ ના વિધાનસભા પ્રમુખ એડવોકેટ સુનિલ ગામીત, પાર્ટી પ્રમુખ રમેશભાઈ આર. ગાયકવાડ તેમજ માજી પ્રમુખ યોગેશ ભાઈ ભોંયે, એડવોકેટ ઉમેશભાઈ માહલા, જીતેન્દ્ર ગામીત, ક્રિશ્ના સોલંકી, મહેન્દ્ર સોલંકી, પ્રકાશ વાઘમારે,ગણેશ, ભાઈ તથા વસંતભાઈ હાજર રહ્યા હતા.
Isudan Gadhvi
હાજર રહેલા તમામ કાર્યકર્તાશ્રી ઓનો ખુબ ખુબ આભાર ...
14/04/2023
બંધારણના ઘડવૈયા, કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ડો. બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતિ પર નતમસ્તક વંદન.