10/06/2022
*રાજકોટનાં નવનિયુક્ત પોલીસ કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લેતુ ગ્રાહક સુરક્ષા સંગઠન - રાજકોટ*
*ગ્રાહક સુરક્ષા સંગઠન- રાજકોટ નાં પ્રમુખ પ્રનંદ ભાઈ કલ્યાણી* તથા કારોબારી સભ્યોએ આજે *રાજકોટ નવનિયુક્ત પોલીસ કમિશ્નર આઇપીએસ રાજુ ભાર્ગવની* શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે નવનિયુક્ત કમિશ્નરએ શહેરીજનોને ચોકક્સ સલામતી આપવા અને ટ્રાફીક સમસ્યા અને ગ્રાહકલક્ષી તથા વેપારીલક્ષી ફરિયાદો પર ધ્યાન આપી ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ મુલાકાત દરમિયાન કમિશનર રાજુ ભાર્ગવે પોલીસ દ્વારા કરવામાં આવતા પોલીસિંગ સિવાયના અન્ય કાર્યોની પણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો. *તેમણે જણાવ્યુ હતું કે ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટ સહિતના સંગઠનો* સાથે મળી તેમની મુશ્કેલીઓ સમજી પોલીસ કાર્યવાહી તરફ આગળ વધશે.”
આ મુલાકાત દરમિયાન કમિશનરે શક્ય તેટલું શ્રેષ્ઠ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. જે સૂચવે છે કે *રાજકોટના અતિ હકારાત્મક ,સૌમ્ય અને બાહોશ નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ* જમીન સાથે જોડાઈ વાસ્તવિકતાના આધારે આગળ વધશે.
*રાજકોટ ગ્રાહક સુરક્ષા સંગઠન નાં પ્રમુખ શ્રી પ્રનંદભાઈ કલ્યાણીએ* પોલીસ કમિશનરશ્રીને રાજકોટ ગ્રાહક સુરક્ષા સંગઠન વતી તમામ તબ્બકે સહકાર અને સેવા આપવાની તૈયારી દર્શાવેલી અને ખાતરી આપીહતી.
25/05/2022
ખોરાક ની ભેળસેળ પારખો વિષય અનુસંધાને કાર્યક્રમ.
મોઢ વણિક સમાજ અને મોઢ વણિક મહાજન ટ્રસ્ટ ,રાજકોટ ના ઉપક્રમે ચાલી રહેલા સમર કેમ્પ -2022 મા ગ્રાહક સુરક્ષા સંગઠન (GSS) રાજકોટ ના સહયોગ થી તારીખ 26-05-2022. ગુરુવાર સાંજે 6-30 વાગ્યે સ્થળ : મોઢ વણિક વિદ્યાર્થી ભવન. 5/રજપૂત પરા .માલવીયા પેટ્રોલ પંપ સામે ,રાજકોટ ખાતે મોઢ વણિક જ્ઞાતિ ની બહેનો માટે " ખોરાક મા થતી ભેળસેળ પારખો " એ વિષય પર એક શિક્ષણ શિબિર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ ના અધિકારીઓ શ્રી પંકજભાઇ રાઠોડ,શ્રી અમીતભાઈ પંચાલ અને RMC ની ટીમ સાથે "ભેળસેળ કેમ પકડવી"એ વિષયે માર્ગદર્શક વક્તવ્ય નુ આયોજન કરવામાં આવેલ છે. ખોરાકી ભેળસેળ થી માનવ માત્ર ને શારીરિક હાનિ થાય છે.ભેળસેળ એ ધીમું ઝેર છે.બજારૂ ખાદ્ય પદાર્થો, શાક ભાજી,દૂધ ,મારી-મસાલા મા પણ ભેળસેળ જોવા મળે છે. આના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા RMC ને આપવામાં આવેલ ફૂડ સેફટી વેન પણ ખાસ ઉપસ્થિત રહસે. જેના દ્વારા ખોરાક ની ભેળસેળ કેમ જાણવી એ સમજૂતી નિષ્ણાતો દ્વારા અપાવામા આવસે.આજ ના સમય માં ખોરાકી ભેળસેળ સામે સાવચેતી અતિ જરુરી બને છે.ખાદ્ય પદાર્થ માં રહેલા હાનિ કારક તત્વો કેમ પારખી શકાય તે અંગે બહેનો ને જાણકારી મળે તે હેતુ થી ગ્રાહક સુરક્ષા સંગઠન ( GSS) , રાજકોટ ના પ્રમુખ પ્રનન્દભાઈ કલ્યાણી એ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય અધિકારી નો સંપર્ક કરી ને આ સમર કેમ્પ માં આવી ને મોઢ વણિક જ્ઞાતિ ની તમામ બહેનો ને ખોરાક ભેળસેળ અંગે માર્ગદર્શન આપે તે હેતુ થી નિમંત્રણ આપેલું છે. આ કાર્યક્રમમાં બહેનો ને બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહેવા અનુરોધ મોઢ વણિક સમાજ ના પ્રમુખ ધર્મેશભાઈ શેઠ અને મોઢ વણિક મહાજન ટ્રસ્ટ ના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા,ગ્રાહક સુરક્ષા સંગઠન ,રાજ્કોટ ના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી સહિત તમામ અગ્રણીઓ એ કરેલો છે
25/05/2022
ગ્રાહક સુરક્ષા સંગઠન - રાજકોટ નાં નવ નિયુક્ત હોદેદારો