16/07/2024
રાજકોટની ઓળખ એવી વર્ષો જૂની”રવિવારી બજાર”ના પાથરણા વાળા નાના ધંધાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગની નોટિસ આપી ગરીબ માણસોને કનગડત કરી રહી છે ત્યારે એસસી ડિપાર્ટમેંટના ચેરમેન નરેશ સાગઠીયાની આગેવાનીમા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને રાજકોટ કોંગ્રેસની આગેવાનીમા બહોળી સંખ્યામા રવિવારી બજારના ધંધાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહી મહારેલી સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ સમસ્યાનુ નિરાકરણ કરવા રજૂઆત કરી. રાજકોટનુ વહિવટી તંત્ર “રોજનુ કમાઈ રોજ ખાતા” નાના માણસોને હેરાનગત કરવાના બદલે ભાજપના અનેક નેતાઓ અને તેના મળતિયાવ બિલ્ડરોએ કરેલ સરકારી જગ્યાઓ પરના દબાણ પર તવાઈ કરવી જોઈએ.
રાજકોટ સમસ્ત કોંગ્રેસ

04/04/2024