Jain Vision

Jain Vision

Share

Jain Vision - Rajkot

Photos from Jain Vision's post 02/04/2026

આ પૂર્વે સ્વાગત પ્રવચનમાં જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ સંસ્થાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જૈન વિઝન સંસ્થાને હંમેશા સહયોગ આપ્યો હતો અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા.

ગત વર્ષે યોજાયેલા ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પણ વિજયભાઈએ હાજરી આપી હતી તે વખતની વિડીયો ક્લિપ બતાવવામાં આવી હતી. સ્વ વિજયભાઈને જૈન વિઝન સંસ્થા વિશે બોલતા સાંભળીને લોકો લાગણીશીલ બની ગયા હતા.

ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં રાજકોટના મ્યુઝિક ગ્રુપ આશિત કોટક એન્ડ પાર્ટીનો સથવારો મળ્યો હતો.

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલી ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જૈન વિઝનના કમિટી મેમ્બર ની પુત્રીઓ દેવાંગી અને હેમાંગી દ્વારા કોરીયોગ્રાફ કરાયેલો ઘુમર રાસ બાર જેટલી દીકરીઓએ રજૂ કર્યો હતો.

Photos from Jain Vision's post 02/04/2026

*જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી, રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી*

- હેમુ ગઢવી હોલમાં ખુરશીઓ ખૂટી પડી: સેકડો લોકોએ પગથિયે બેસીને કાર્યક્રમ માણ્યો

- પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્થાના સંસ્મરણો લોકો માટે ભાવનાત્મક ક્ષણ બન્યા

- ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને આકર્ષક ઈનામો અપાયા

- અનેક જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન

- જૈન વિઝનની ટીમ ઉપર અભિનંદનની વર્ષા

રાજકોટ

રાજકોટ ખાતે સતત 13મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ભક્તિસંગીતના કાર્યક્રમમાં જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખુરશીઓ ખૂટી પડી હતી અને લોકોએ પગથિયે બેસીને મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતી જેવો સાબિત થયો હતો અને રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી હતી.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને ભરત દોશીએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સમાજલક્ષી કાર્યક્રમમાં કર્યા બાદ ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં જાણીતા સ્તવનકારોએ ભક્તિનો રસ ઘૂંટ્યો હતો. સ્તવનકારો સાગર કેન્દુરકર (મુંબઈ), પર્વ જૈન( ઈન્દોર), સ્તુતિ દોશી (સુરત) અને જેતલ સોનીએ ભગવાન મહાવીર સ્વામી ની એક એકથી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.કાર્યક્રમનું સંચાલન આશિષ શાહ કરેલ રિધમ ટિમ રાજકોટના જાણીતા આશિષ કોટક ટિમેં દ્વારા સંગીત પીરસેલ
એક એક રચના ઉપર વન્સમોર સાંભળીને આ કલાકારો પણ ઝુમી ઉઠ્યા હતા.

આ પૂર્વે સ્વાગત પ્રવચનમાં જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ સંસ્થાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જૈન વિઝન સંસ્થાને હંમેશા સહયોગ આપ્યો હતો અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા.

ગત વર્ષે યોજાયેલા ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પણ વિજયભાઈએ હાજરી આપી હતી તે વખતની વિડીયો ક્લિપ બતાવવામાં આવી હતી. સ્વ વિજયભાઈને જૈન વિઝન સંસ્થા વિશે બોલતા સાંભળીને લોકો લાગણીશીલ બની ગયા હતા.

ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં રાજકોટના મ્યુઝિક ગ્રુપ આશિત કોટક એન્ડ પાર્ટીનો સથવારો મળ્યો હતો.

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલી ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જૈન વિઝનના કમિટી મેમ્બર ની પુત્રીઓ દેવાંગી અને હેમાંગી દ્વારા કોરીયોગ્રાફ કરાયેલો ઘુમર રાસ બાર જેટલી દીકરીઓએ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન મહાવીર સ્વામીની દીપ પ્રાગટ્ય કરી સમૂહ આરતી કરી હતી. હેમુ ગઢવી હોલમાં બેઠેલા હજારો લોકોના હાથમાં દીવડા પ્રગટેલા જોવા એ દ્રશ્ય અલૌકિક હતું.

02/04/2026

*જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી, રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી*

- હેમુ ગઢવી હોલમાં ખુરશીઓ ખૂટી પડી: સેકડો લોકોએ પગથિયે બેસીને કાર્યક્રમ માણ્યો

- પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્થાના સંસ્મરણો લોકો માટે ભાવનાત્મક ક્ષણ બન્યા

- ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને આકર્ષક ઈનામો અપાયા

- અનેક જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન

- જૈન વિઝનની ટીમ ઉપર અભિનંદનની વર્ષા

રાજકોટ

રાજકોટ ખાતે સતત 13મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ભક્તિસંગીતના કાર્યક્રમમાં જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખુરશીઓ ખૂટી પડી હતી અને લોકોએ પગથિયે બેસીને મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતી જેવો સાબિત થયો હતો અને રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી હતી.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને ભરત દોશીએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સમાજલક્ષી કાર્યક્રમમાં કર્યા બાદ ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં જાણીતા સ્તવનકારોએ ભક્તિનો રસ ઘૂંટ્યો હતો. સ્તવનકારો સાગર કેન્દુરકર (મુંબઈ), પર્વ જૈન( ઈન્દોર), સ્તુતિ દોશી (સુરત) અને જેતલ સોનીએ ભગવાન મહાવીર સ્વામી ની એક એકથી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.કાર્યક્રમનું સંચાલન આશિષ શાહ કરેલ રિધમ ટિમ રાજકોટના જાણીતા આશિષ કોટક ટિમેં દ્વારા સંગીત પીરસેલ
એક એક રચના ઉપર વન્સમોર સાંભળીને આ કલાકારો પણ ઝુમી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન મહાવીર સ્વામીની દીપ પ્રાગટ્ય કરી સમૂહ આરતી કરી હતી. હેમુ ગઢવી હોલમાં બેઠેલા હજારો લોકોના હાથમાં દીવડા પ્રગટેલા જોવા એ દ્રશ્ય અલૌકિક હતું.

02/04/2026

શ્રી ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ અહિંસા, સત્ય અને કરુણાના સંદેશને યાદ કરાવતો પવિત્ર તહેવાર છે.
લોકો મંદિરોમાં પૂજા, પ્રાર્થના અને સેવા કાર્યો કરે છે.
ભગવાન મહાવીરનો ઉપદેશ “જીવો અને જીવવા દો” જીવનમાં શાંતિ લાવે છે.
આ દિવસે દાન અને પરોપકારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Photos from Jain Vision's post 28/03/2026
27/03/2026
25/03/2026

ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સમસ્ત જૈન સમાજ, રાજકોટ દ્વારા “ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી યોજાશે.
વિદ્યાર્થીઓને અલગ-અલગ ઉંમર જૂથમાં ભાગ લેવાની તક આપવામાં આવી છે.
દરેક વિજેતાને આકર્ષક ઇનામ આપવામાં આવશે અને નોંધણી પણ ઉપલબ્ધ છે.

25/03/2026

આવો ભક્તિ અને શ્રદ્ધાના સૂર સાથે મહાવીર નામ લઈએ 🙏
સુરિલા અવાજમાં ભક્તિ સંગીતની અનોખી સાંજનો આનંદ માણીએ 🎶
ચાલો મળીને આ પાવન અવસરને યાદગાર બનાવીએ ✨

22/03/2026

*જૈન વિઝન દ્વારા સતત 13માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી : કાર્યક્રમોની હારમાળા..*

Photos from Jain Vision's post 15/03/2026

આગામી દિવસો માં પ્રભુ મહાવીર જન્મકલ્યાણ ને ઉપલક્ષી ટિમ જૈન વિઝન દ્વારા ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી,
રાજકોટ ના પ્રભારી અને ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ વાઘાણી,ગુજરાત મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,
અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહને ટિમ જૈન વિઝન દ્વારા આમત્રંણ અપાયું હતું. સમગ્ર આયોજન અંગે આદરણીય શ્રી અંજલીબેન રૂપાણી, અને ધારાસભ્યશ્રી આદરણીય ડો દર્શિતાબેન શાહ વિશેષ માંગદર્શન પ્રાપ્ત થયેલ...

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Rajkot
360001