01/06/2026
જનસેવામાં હંમેશા અગ્રેસર એવા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ શ્રી Chandubhai Shihora જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
પ્રભુ શ્રી રામ આપને દેશહિત અને સમાજ હિત માટે દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
01/06/2026
માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો તથા રમતગમત વિભાગના મંત્રી શ્રી Mansukh Mandaviya જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના
31/05/2026
વઢવાણ મેળાના મેદાન ખાતે શ્રી રેલીયા હનુમાનજી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી, વ્યાસપીઠને વંદન કરી ધન્યતા અનુભવી.
આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડે. મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન શ્રી નિખિલભાઈ ચાંપાનેરી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સુંદર ધાર્મિક આયોજન બદલ સમગ્ર યુવા ગ્રુપ અને આયોજકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
31/05/2026
દેશના માનનીય વડાપ્રધાન શ્રી સાહેબના "મન કી બાત" કાર્યક્રમને વઢવાણ વિધાનસભાના સુરેન્દ્રનગર મહાનગરના વોર્ડ નંબર 13 માં આવેલ બુથ નંબર 197 ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો.
વડાપ્રધાનશ્રીના વિચારો અને વક્તવ્યો હરહંમેશ એક નવીન ઉર્જાનું સંચાર કરે છે.
30/05/2026
જય સોમનાથ 🙏
પરિવારજનો સાથે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા તેમજ સોમેશ્વર પૂજાનું પાવન સૌભાગ્ય પ્રાપ્ત થયું.
29/05/2026
આજે ગુજરાતના ગૌરવ સમાન સાસણ ગીર સફારી પાર્કની મુલાકાત લેવાનો અને પ્રકૃતિને ખૂબ નજીકથી નિહાળવાનો અવસર મળ્યો.
વન્યજીવોનું સંરક્ષણ અને કુદરતી વારસાની જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે.
વન વિભાગ દ્વારા પ્રકૃતિના સંતુલન અને પર્યટકોની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ ખરેખર પ્રશંસનીય છે. પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે ગીરની આ મુલાકાત હંમેશા યાદગાર રહેશે.
28/05/2026
ઝાલાવાડના હૃદયસમા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત સર્વે પદાધિકારીશ્રીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.
'જનસેવા એ જ પ્રભુસેવા' ના મંત્રને ચરિતાર્થ કરી, આપ સૌ નગરજનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં અને શહેરને વધુ સ્વચ્છ, સુંદર તથા સુવ્યવસ્થિત બનાવવામાં સતત અગ્રેસર રહો તેવી અભિલાષા સહ હાર્દિક શુભકામનાઓ